જિંદગી માં જ્યારે અર્થોર્પાર્જન શરુ કરો ત્યારે ખાસ આયોજન કરશો.
તમારું આયોજન એવું હોય કે સરળતાથી બચત કરી શકો.
કરકસર સરખી કરશો તો તમે વધારની કમાણીનો અનુભવ કરશો. તમને શાંતિ રહેશે. ઘણાં લોકો એવા પણ છે જે કમાય છે તે ઉડાવી દે છે ,અને પછી પોતાના સગાસંબંધી ની ઈર્ષા કરે છે . ઊડાવ લોકો ને કરકસર કેમ કરવી તે ક્યારેય આવડતું નથી અને પછી બીજાને લોભીયા કહી વગોવે છે.
વર્ષો સુધી બચત કરો અને સંતોષ થઈ જાય ત્યારે આયોજન કરીને તમારી બચતને એવી રીતે વાપરો કે તમારી કમાણીની મજા તમે લઈ શકો. નહી કે તમારા સંતાનો એ મજા લે. જાણી લેજો તમારી પરસેવાની કમાણી નો ઉપયોગ તમે જ કરજૉ . નહીતો પાછલી ઉમંરમાં વાપરી નહિ શકો અને છતે પૈસે હેરાન થશો એ નફામાં . તમારી બચતને એવે સમયે વાપરો જ્યારે તમારું સ્વાસ્થય બરાબર હોય. ઘડપણ સુધી ભેગું કર્યા કરશો તો વાપરશો ક્યારે ? ક્યાંક વાપર્યા વિના મર્યા તો ?
વિચારજો તમારી કમાણી તમને કામ આવે નહી કે તામારા સંતાનોની જાહોજલાલી માટે. તમે એમને ઘર આપશો કાર આપશો અને બેંક બેલેન્સ પણ આપશો . પછી એમને ક્યા ચીન્તા છે ? એમને મોજ મજા જ બાકી રહેશે .અને તેમની ફોરેન ટૂર જૉઈ તમે નિસાસા માત્ર નાખશો કે અમે તો ક્યાય ન ગયા.
માટે ચેતજો. સંતાનો ને પૂછો કે એ લોકો તમારા માટે ઘર , કાર અને બેન્ક બેલેન્સ આપી શકે ?
એ લોકો પાસે માત્ર બે શબ્દ છે
“” ડેડી મમ્મી આઇ લવ યુ “”
બસ આટ્લું જ .
વાચક મિત્રોના પ્રતિભાવો